
માનવ જીવનમા આત્મિક સત્ય સ્વરૂપ થઈને પદાર્થની પકડથી મુક્ત ચિત્ત કરીને, આંતર આધ્યાત્મિક સાધના કરી, પોતાના ચિત્તને પરમ મૌન, શૂન્ય અને પરમ વિશ્રામમાં સ્થિર કરીને તૃષ્ણા રહિત જીવન જીવ્યે જવું અને પરમ આનંદ અને પરમ શાંતિ સાથે મૃત્યુને ભેટવું તેનું નામ સન્યાસ છે,
સંન્યાસનો અર્થ ધરબાર છોડી બહાર સવાયો સંસાર ઊભો કરી પદાર્થના પકડ ધારી બની, લોકોને ભય ભ્રમ અને ભ્રમ જાળમાં સ્થિર કરી તેની પાસેથી પદાર્થ પડાવવો તે સંન્યાસ નથી ,તેતો સવાયો સંસારી છે, જ્યાં સુધી ચિત્તમાં ધરબાર મે છોડ્યા છે, તેવો ભાવ અને પરમતત્વને પામવું છે, તેવી કોઈપણ તૃષ્ણા ચિત્તમાં હયાત છે ,અને પદાર્થની પકડ અહંકાર, કર્તૃત્વ આસકતી તૃષ્ણા વાસના ચિત્તમાં હાજર છે, ત્યાં સુધી સંન્યાસ નથી, પણ પાકો બનાવટી સાધુ જ છે,
ખરેખર સંન્યાસ નો અર્થ છે, સમ્યક ન્યાસ એટલે જેમને પોતાને જ પોતાના જ આત્મિક સત્યમાં સ્થિર થઈને જીવન જીવવાની સમ્યક કળા આવડી ગઈ અને જીવવાની કળામાં મરવાની કળાનો સમાવેશ થઈ જ જાય છે,
,આમ જેમને સમ્યક દર્શન ,સમ્યક જ્ઞાન , સમ્યક ચરિત્ર, સમ્યક સંકલ્પ, સમ્યક સત્ય, સમ્યક ચિત્તના વિશ્રામ અને સમ્યક પદાર્થની પકડની મુક્તિની આમ સપ્ત ઋષિ તત્વની આંતર સાધના કરી જીવન જીવતા આવડી ગયું તેજ સાચો સંન્યાસી છે,,,એટલે જ આવા આત્મિક સત્ય સ્વરૂપ જીવનની સમ્યક કળા માટે મુનિ બનવું પડે અને મરવાની કલા માટે સત્ય સ્વરૂપ ભિક્ષુ બનવું પડે ,
,જ્યારે બીજાને મારવાની કળા માટે , પદાર્થના પકડધારી બની અસત્ય આચરણ માટે સાધુ બનવું પડે જેથી મરણ સુધરે જ નહિ, અને પોતાના ભાગમાં આવે વાસના ગ્રસ્ત મૃત્યુ જે જન્મ અને મૃત્યુના ફેરામા ફેરવ્યા જ કરે, આમ મૃત્યુ નહિ સુધારવાનો આસક્તિ યુક્ત કોન્ટ્રાક્ટર એટલે આજનો સાધુ ,
આમ મુનિ અને ભિક્ષુ બંને સત્ય સ્વરૂપ સંન્યાસ આત્મ સાત કરી લે છે ,
જ્યારે સાધુ આત્મિક સત્ય સ્વરૂપ વ્યવહાર અને આચરણથી અલગ જ રહે છે, તે કદી પણ આત્મિક સત્ય સ્વરૂપ વ્યવહાર કે આચરણમાં આસકત હોતો જ નથી,તેનું નામ સાધુ ,, , ,
સંન્યાસ શબ્દ મુનિ અને ભિક્ષુ બંને શબ્દો કરતાં બહોળો અર્થ છે , મુનિ જીવવાની સત્ય સ્વરૂપ કળા છે, જ્યારે ભિક્ષુ એ સત્ય સ્વરૂપ મરવાની કળાઆત્મ સાત કરેલ છે, બુધ્ધ ભગવાને ભિક્ષુઓ માટે પીળા વસ્ત્રોની પાસદગી કરી હતી આમ પીળો રંગ મૃત્યુનો રંગ છે ,
આપણે જોઈ શકી છીએ કે વૃક્ષોના પાંદડા મરવાની સ્થિતિમાં આવે છે, ત્યારે તે બધાજ પીળા પડી જાય છે, અને ખરી પડે છે , માણસ જ્યારે મરવાની અણી પર પથારીએ પડે છે ત્યારે તેનો ચહેરો પણ પીળો જ થઈ જતો હોય છે, આમ પીળો રંગ સત્ય સ્વરૂપ મૃત્યુનું પ્રતિક છે, એટલા માટે જ બુધ્ધ ભગવાને પીળા રંગની પસંદગી કરેલ છે,
આમ ભિક્ષુના જીવનની આત્મિક સત્ય સ્વરૂપ કળા જ આ વાત ઉપર નિર્ભર છે, કે હું કેવી રીતે મરુ ભિક્ષુ અભયમાં સ્થિર હોય છે, તેને મૃત્યુનો ભય હોય શકે જ નહીં, તેમજ તમામ પ્રકારની આસકતીથી મુક્ત હોય છે, તેથી જ તેનું મૃત્યુ મંગલ હોચ છે,જેથી ફરીથી જન્મ લેવો પડે નહીં,,
આત્મિક સત્યમાં સ્થિર થયેલો અને પોતાના ચિત્તને કાયમી વિશ્રામ આપી રહેલાં સંન્યાસી , મુનિ અને ભિક્ષુઓ એ પોતાની ઇંદ્રિઓ , મન , બુધ્ધી કામ ક્રોધ કામના વાસનાં વગેરેને સત્યની સાધના કરી જીત્યા તેને સર્વને જીતી લીધા પછીતે ક્યાંય પણ બંધાતો નથી, કારણ કે તેમણે પોતાના ચિત્તને કાયમી વિશ્રામમાં સ્થિર કરી દીધું હોય છે,
તેઓએ પાંચ મહા ભૂતોનાં આવિર્ભાવ પામેલા તમામ તત્વોને અને સપ્ત ધાતુના બનેલા પાર્થિવ દેહને સત્યની પ્રાપ્તિના અભ્યાસના ક્રમાનુસાર ધીમે ધીમે તેઓએ સત્યની અગ્નિમાં પ્રજાળી દીધા હોય છે ,આવો મહા બળવાન દેહ પણ સત્યને માટે દુર્લભ હોય છે, તેથી તે ક્યાંય તેનો આત્મા છેદાતો નથી બંધાતો નથી અને અનેક પ્રકારની આત્મિક શક્તિઓની પ્રાપ્તિ ધરાવે છે, તથા પોતાની પ્રકૃતિથી પર છે, ત્રિગુણાત્મક સ્થિતમાં , વિતરાગતામાં ,નિર્ગ્રંથતા અને પ્રજ્ઞામાં સ્થિર હોય છે ,
જેવુ આકાશ નિર્મળ છે તેવું જ સત્ય સ્વરૂપ સંન્યાસીનું , મુનિનું અને ભિક્ષુનું શરીર, મન અને બુધ્ધિ નિર્મળ હોય છે, એતો આકાશ કરતાં પણ વધુ નિર્મળ હોય છે, અને સૂક્ષ્મથી વધારે સૂક્ષ્મ સ્થૂળથી વધારે સ્થૂળ અને જડથી વધુ જડ હોય છે ને બની રહે છે
આવા આત્મિક સત્ય સ્વરૂપ સંન્યાસી ,મુનિ અને ભિક્ષુ તો પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર સ્વતંત્ર અજર અમર મરજી પડે ત્યાં સહજ લીલાથી ખેલે છે,આ અવસ્થામાં જે સ્થિર છે, તેજ સત્ય સ્વરૂપ સંન્યાસી ,મુનિ અને ભિક્ષુ છે , જે જવી જાણે છે, અને મરણને આનંદ સાથે પામે છે.
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”
Recent Comments