જીવનમા ભય ભ્રમ અને ભ્રમજાળ એ મનનું એવું એક વલણ છે, જે જીવનના સરળ સીધા સત્ય સ્વરૂપ વહેતા પ્રવાહને ઉધો વેગ આપે છે, અને ,વળાંક આપે છે, અને ચિત્તને વિકૃત પણ બનાવે છે , આમ મન સદાય ચંચળતાના નિરંતર ઓખરે ચડતા જ જીવનમાં બદબુ જ ઊભું કરતું જ રહે છે, અને તેથી જ નિર્ભયતા અભય, સત્યતા, નિશ્ચયાત્મકતા ,સમતા અને સ્થિત પ્રજ્ઞા જીવનમાં પાંગરી શક્યતા જ નથી ,પણ જો આધ્યાત્મિક આંતર સાધના કરવામાં આવે તો તેને સુદ્રઢ આધારની ભૂમિકામાં લઈ જાય છે, અને પછી જીવનમાં નિર્ભયતા, અભય અને ચિત્તનો પરમ વિશ્રામનો અનુભવ અને અનુભૂતિ કરાવે છે,
આ છે આધ્યાત્મિક સાધનાની સિધ્ધી, આવી સિધ્ધી બાહ્ય ચારોથી કદી પણ કોઈને પ્રાપ્ત થતી જ નથી, એટલે જ બાહ્યા ચારો એ કોઈ સાધના નથી ,પણ ભય ભ્રમ અને ભ્રમજાળ ઊભું કરવાનું મહા કારખાનું જ છે, આ કારખાનનો માલ છે, અહંકાર, વાસના અને દંભનું જંગલ
જો મનની ધુમરીઓ મટી જાય,ને ઓખારે ચડતું મન બંધ થાય તોજ ચિત્ત પરમ વિશ્રામમાં સ્થિર થઈ જાય છે ,ત્યારે જ મનની પાછળ જે અનંત શક્તિ રહેલી છે ,તે શક્તિઓ પ્રગટ થવા માંડે છે, ત્યારે મનની તમામ દીવાલો મિટાવી ને આ અનંત અને અદભુત શક્તિ સાથે સત્ય સાથે મિલન યોજવું તેનું નામ જ આધ્યાત્મિક આંતર સાધના છે.
માણસનું મન એ માણસે પોતાએ જ રચેલી રક્ષણની ઢાલ છે, ને આક્રમણની તલવાર છે, તેની પાછળ મૂળમાં આજના ધર્મે ઊભો કરેલો ભય, ભ્રમ ભ્રમજાળ , અહંકાર, તૃષ્ણા કામના વાસનાઓની લંગાર રહેલા છે, તેથી બાહ્યા ચારોના ધર્મ દ્વારા માણસ અંદરથી સ્વાધીન અને સંતૃપ્ત કદી પણ થતો જ નથી ,અને જ્યાં સુધી પૂર્ણ રૂપે સંતૃપ્ત નથી થતો, ત્યાં સુધી તે સદા આમ તેમ ધૂમર્યા જ માર્યા કરે છે, અને તેની જ ખેચતાંણમાં ભય ગ્રસ્ત બની જીવ્યા કરે છે,
ધર્મ તેને આંબા આંબલીઓ બતાવ્યાજ કરે છે અને તેની વાસનાં ને ઉશ્કેરે છે, અને વાસના તૃષ્ણા અને ઈચ્છા ત્યાં ચિત્તનો પરમ વિશ્રામ અશક્ય બને છે, અને ત્યાંતો હાજર હોય છે, ભય, ભ્રમ ભ્રમજાળ જેથી તનાવ, દુખ અને ચિંતા, આવ્યો હતો પરમ શાંતિ અને પરમ આનંદ પ્રાપ્ત કરી અમૃત મય જીવવા પણ અજ્ઞાનીઓનો પજો ફરી વળતાં હાથમાં રહ્યું છે, મનની વિહ્વળતા અને અશાંતિ
માણસ જ્યાં સુધી પોતાના ચિત્તને પૂર્ણ રૂપે પરમ વિશ્રામમાં સ્થિર ન કરે ત્યાં સુધી અંદરથી સ્વાધીન અને સંતુષ્ટ હોતો જ નથી, ત્યાં સુધી ખેચતાણં માજ જીવ્યા કરે છે,,
પોતાની જ ઇંદ્રિઓ આમ તેમ તેને ખેચે છે, આમ માણસ મનથી માંદો જ હોય છે, અને માંદા માણસની જેમ તે પોતાને જ નુકસાન કરે છે, આવો માણસ પોતાના જીવનમાં એવી વાસના કામના ઈચ્છા કરતો હોય છે, જે તેની ચંચલતામાં વૃધ્ધિ કરે છે,
આવી બધી જ ચંચળતાની વૃતિઓને કાબુમાં લેવાનું આધ્યાત્મિક સાધના શીખવે છે, અને શરીરની સાથે જોડાઈ ગયેલા મનને વિખુટુ પાડવાનો સત્ય સ્વરૂપ માર્ગ બતાવે છે, અને આધ્યાત્મિક આંતર સાધના જ હજારો પ્રકારની ઇચ્છાઓથી ધેરાયેલા મનને ઈચ્છા મુક્તિના અને પદાર્થની પકડ મુક્તિના શિખર ભણી લઈ જાય છે, અને ત્યાં સ્થિર કરે છે.
જ્યાં ચિત્ત પરમ વિશ્રામમાં સ્થિર હોય છે, કોઈપણ જાતનું કંપન હોતું નથી, અને અચલતા હોય છે, આવી શુધ્ધ અચલતામાં જ સ્વાધીનતાનો સ્વતંત્રતાનો અનુભવ અને અનુભૂતિ થતી હોય છે. માણસના મનનો સ્વભાવ હોય છે કે જેની તે ઈચ્છા કરે છે, તેના પર તેની સુંદરતાનો રંગ ચડાવે જ જાય છે,,અને જેનાથી ભાગી છૂટવા માણસ માગેતો તેને ખરાબ ચીતરી કાઢે છે, આમ માણસ જરાક રાગ દ્વેષ અને અહકારથી મુક્ત થઈ સ્વસ્થતા સાથે વિચારેતો મનના ખેલ માણસ પારખી કાઢે છે, આ પારખવાની શક્તિ જ આધ્યાત્મિક સાધના દ્વારા ઉપલબ્ધ થાય છે, કરવાની હોય છે,
આજ આખી સાધનાનો હેતુ છે, સત્ય સ્વરૂપ વિવેકમાં સ્થિર થવું છે, જો સાધના દ્વારા આવો સત્ય સ્વરૂપ વિવેક પ્રાપ્ત થાય તો પછી મને ઈચ્છેલી બહારની વસ્તુ પર તે આધાર રાખતો માણસ અટકી જાય છે, અને પછી આવું સ્વચ્છ આત્મ દર્શન મળે તો તેના સધળા કર્મનો આધાર ઈચ્છા -અનિચ્છા ક્રિયા -પ્રતિક્રિયા કર્તૃત્વ -અકર્તૃત્વ નહીં પણ સહજ સત્ય યુક્તતા યુક્ત બની જ જાય છે,,આમ જે પોતે આતરસાધના કરી મનને મારી શકે , પરમ મૌનમાં સ્થિર થઈ શકે ,શૂન્યતામાં સ્થિર થઈ શકે ઇંદ્રિઓની પારની અવસ્થામાં સ્થિર થઈને સાક્ષી ભાવમાં સ્થિર થાય તેજ જિંદગીનો જંગ જીતી શકે છે,
આધ્યાત્મિક આંતર સાધનામાં નિશ્ચિંતતા, સાતત્ય, સત્યતા, શ્રધ્ધા અને દ્રઢતા આપંચ રત્નનો સ્વીકારતો કરવો જ પડે છે, અને કોઈપણ પરિસ્થિતિમાં ચિત્તની સ્વસ્થતા, ,શુધ્ધતા અને પરમ વિશ્રામની અવસ્થા પ્રાપ્ત કરી ભ્રાંત અને શ્રાંત દર્શનમાંથી મુક્ત થતાં જ ક્રાંત અને શાંત દર્શનના શિખરે ચડવું જ જોઈએ, આ શીખરે પહોંચવાનું પહેલું પગથિયું , અહકારથી મુક્ત થઈ આત્મિક સત્યમાં સ્થિર થવું બીજું પગથિયું આત્મ વિશ્વાસ અને ત્રીજું પગથિયું આત્મા અને પરમાત્મામાં પૂરો ભરોસો હોવો જોઈએ આમ આધ્યાત્મિક સાધના દ્વારા આ ત્રણ પગલાં ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરી ભરવાના છે, આ ત્રણ સીડી પાર કરવી તેજ જીવનની સિધ્ધિ બની રહે છે, આજ અભય ની અવસ્થા પછી મૃત્યુનો પણ ભય રહેવા પામતો નથી એજ સિધ્ધી છે
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”



Recent Comments