×

HOW TO CONNECT WITH US

1 E-Mail: info@swargbook.com
2 Call Us: M: +91 85113 95067
3 WhatsApp:  +91 85113 95067

If you still have problems, please let us know, by sending an email to support@swargbook.com . Thank you!

SERVICE HOURS

Mon-Fri 9:00AM – 09:00PM
Sat – 9:00AM-09:00PM
Sundays OFF!

Recent Comments

  • Sacharachar on Subodhchandra Natwarlal Trivedi
  • sudershan Upadhyay on Subodhchandra Natwarlal Trivedi
QUESTIONS? CALL: +91 85113 95067 OR E Mail us info@swargbook.com
  • Need Help

Swargbook | Online Shradhanjali | Online Obituary | Last Tribute | Last Messages

Swargbook | Online Shradhanjali | Online Obituary | Last Tribute | Last Messages

Welcome To Swargbook Create Obituary Online

+91 85113 95067
Email: info@swargbook.com

SwargBook
Sachrachar, Bh Ramol Police Station Ramol, Ahmedabad 382449 GJ IN

  • Home
  • About Us
  • Categories
    • Celebrity
    • Ahmedabad
    • Vadodara / Anand
    • Mumbai
    • Corporate
    • Kheda
    • Rajkot
    • Surat
    • U.S.A
  • Blog
  • Contact Us
Whatsapp
  • Home
  • Blog
  • Blogs
  • સાંભળવા વાંચવા કરતાં ચિંતન મનન
December 7, 2025

સાંભળવા વાંચવા કરતાં ચિંતન મનન

સાંભળવા વાંચવા કરતાં ચિંતન મનન

by Nikhil Vaghela / Sunday, 18 July 2021 / Published in Blogs

આજે અનેક જગ્યાએ ,રામાયણ, ભાગવત ,શિવપુરાંણ ગીતા જ્ઞાન યજ્ઞ, સત્સંગો વગેરેના સતત અસ્ખલિત
રીતે પારાયણો ચાલતા જ રહે છે, જુદાજુદા પ્રકારની આરતિઓ , પ્રસાદ મેળવવા, જોશ જોનારા જોશીઓનો ને
,ભૂવાઓ દોરા ધાગા કરનાર વગેરે પ્રકારની સિધ્ધી આપી દેવા કે અપાવી દેવા વાળા હાજરા હજુર છે, માંગતા
ભૂલો જાણે કે બધુ જ આપવાવાળા પરમ પિતા પરમાત્મા હાજર થઈ ગયા છે,
આવા આપવા વાળા પરમાત્માની અનેક પ્રકારની રથ યાત્રાઓ , કાવડ યાત્રાઓ શરૂ થઈ ગયેલ છે, આ બધાની જાહેરાતોનો
મારો નાંણા ખર્ચીને એવોતો ચાલી રહ્યો છે, કે આ બધુ જોતાતો એમ જ લાગે છે, કે હવે કોઈ માણસ ચિંતા ગ્રસ્ત કે દુખી તો
રહેવા જ પામ્યો નહીં હોય, કારણ કે આ બધાજ માણસને સુખ શાંતિ અને આનંદ આપવા માટેની દવા વેચવા જ નીકળી
પડ્યા છે, દવા અસર કારક છે, કે કેમ? રોગ મટે છે, કે કેમ તેની કોઈને પડી નથી, દવા વેચાય અને ખીસું ભરાય તેમાં વેચવા
વાળાને રસ છે, .અને તેનાથી વિશેષતો ખરીદનારાને વધુ રસ હોય તેમ જણાય છે,તેને આશા છે કે વેદની દવા સારીજ હોય,
તેમાં ભેળ સેલ ન હોય પણ પણ પછી અસર કરતાં પણ ન હોય, , ,
આજે આમ સાંભળનારાં આરતીઓ કરાંવનારાં , હાથ બતાવનારા મૂર્ત જોવડાવનારા તાવિજો ખરીદનારાઓ,
માળાઓ આશીર્વાદ પ્રસાદ મેળવનારાઓ, ધાર્મિક સ્થળે આંટા મારનારાઓ, પોતાના દુખ ચિંતાના
પ્રશ્નો પૂછનારા વગેરેની લંગાર લાગી છે,
આવી બધાજ પ્રકારની મુશકેલીઓ મિટાવવાની અને સુખની શાંતિની સંપૂર્ણ પ્રાપ્તિ થાય તેવી દવા
વેચનારાઓની સખ્યાં કરોડો ઉપર છે, જેઓ કપાળમાં તિલક ડોકમાં માળા બગલમાં છુરી ને મુખમે
રામ જપતા જપતા દવાઓ વેચી રહ્યા છે,, ,
આ દવાની ખરેખર અસરકારકતા કેટલી છે, તેનો તટસ્થતા પૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે, કે આ
દવા જે આજે પૂર બહારમાં જાહેરાતોના મારાને કારણે વેચાય રહી છે, તે ખરેખર અસરકારક છે,,કે
નહિ ખરેખર આનાથી માણસ પરમ શાંતિ અને આનંદમાં સ્થિર થયો છે, ખરો ?
આજનો માણસ વધુ તનાવ ગ્રસ્ત, વધુ દુખી વધુ પદાર્થનો આસક્ત, વધુ દંભી વધુ અહંકારી થયો
તો નથી ને ? તેનો તટસ્થ રીતે અભ્યાસ કરવો જરૂરી અને આવશ્યક છે,, તો જ આ દવા અસરકારક
છે, કે નિષ્ફળ ગઈ છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવે,
પ્રથમ દ્રષ્ટિએ જોતાં આ દવા અસરકારકતો હશે જ ને માણસના મનના બુધ્ધિના ચિત્તના બધાજ
રોગો નાબૂદ થઈ ગયા હશે, ને તમામના ચિત્ત પરમ વિશ્રામમાં સ્થિર થઈ જ ગયા હશે,અને દરેક
માણસ પોતાના જ સ્વભાવમાં સ્વધર્મમાં સ્થિર થઈ સાક્ષીભાવનો અનુભવ કરતાં જ હશે, અને આત્મ
જ્ઞાનનો ફૂવારો અંતરમાં ઊડતો હશે,જેથી, માણસ પોતાના જીવનમાં સંમતા ,સરળતા સહજતા પ્રજ્ઞા,
વિશાળતા, સમાંનાં ભાવમા આત્મિક સત્યમાં, નીતિમત્તામાં, સ્થિર થઈ ગયા જ હશે, તેવી પ્રતિતિતો
ટોળાંને ટોળાં દવાઓ ખરીદે છે, ને માલની ખરીદી પણ જોરદાર છે, તેને જ ધ્યાને રાખી વિચારીએ તો
દવા ગજબની અસર કારક પુરવાર થઇ હોય તેમ તો લાગે જ છે,,ને તમામના ચિત્તના તમામ રોગો

જેવા કે અહંકાર, કામના, વાસના, રાગદ્વેષ, ઈચ્છા, મોહ, મમતા, તૃષ્ણા ,ક્રોધ, ઈર્ષા વગેરે મટી ગયા
જ હશે,
માણસો પરમ આનંદ અને પરમ શાંતિ મહેસુસ કરતાં હશે, એવું તો સ્પષ્ટ ભાસે છે, આવું હોય તો જ
ટોળાં બધ માણસો દવા ખરીદે ને અને વેચનારાના સ્ટોર ધમ ધોકાર ચાલે છે, અને વગર નાણાંનો
ધંધો સારો ચાલે છે, અને માલ વેચે જ જાય છે,,, . , ,,, ,
માણસ સ્વભાવથી જ ત્રણ પ્રકારના હોય છે, એક છે કર્મ પ્રધાન જે કર્મ કર્યા વિના બેસી શકે જ નહીં
બીજો પ્રકાર છે, વિચાર પ્રધાન જે વિચાર કર્યા સિવાય રહી શકે જ નહીં, અને ત્રીજો પ્રકાર છે, ભાવ
પ્રધાન જે ભાવમાં અને પ્રેમમાં ડૂબેલો હોય છે,
આ ત્રણે પ્રકાર ના માણસે પોત પોતાની રીતે પોતાનો સ્વભાવ જાણીને સ્વભાવ અનુસાર આંતર
સાધના પસંદ કરી, આ આંતર સાધના દ્વારા પરમ જાગૃતિમાં સ્થિર થઈ પરમ ચેતના પ્રાપ્ત કરી
આંતર ધ્યાનનો લાભ લઈને પોત પોતાનાં સ્વભાવમાં એટલે કે સાક્ષીભાવમાં સ્થિર થવાનું હોય છે,
માનવ જીવનમા સાક્ષીભાવ એ જ અંતિમ મંજિલ છે, તે પછી કોઇ પડાવ નથી, આજ તમામ પ્રકારના
દ્વેતમાંથી નિવૃત થઈ અદ્વેતમાં સ્થિર થવું છે, જેને શકરાચાર્ય જ્ઞાનની પ્રાપ્તિ કહે છે, અને જ્ઞાન એજ
મુક્તિ છે,,એટલે આમ આ બધાને જ્ઞાન અને મુક્તિ તો કોઠે પડી ગઈ હોય તેમ લાગે છે,તેથી પરમ
આનંદ અને પરમશાંતિમાં આળોટતા, અમૃતમય જીવન જીવતા જ હશે તેમ માનવું જ રહ્યું, , .,
ત્રણે પ્રકારના માણસ માટે ત્રણ પ્રકારની સાધના પદ્ધતિ છે, જેમાં કર્મ પ્રધાન માટે , કર્મ યોગ વિચાર
પ્રધાન માટે ,જ્ઞાન યોગ અને ભાવ પ્રધાન માટે ભક્તિ માર્ગ,
આ ત્રણેમાં માર્ગમાં ચાલતા પરમ ચેતનામાં સ્થિર થઈને આંતર ધ્યાનની સાધના કરી દરેકમાં
પોતાની પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક આંતર ધ્યાન દ્વારા પોતાના સ્વમાં જ સ્થિર થવાનું હોય છે,
આજ પરમ તત્વનો અનુભવ અને અનુભૂતિ છે ,આ અંતિમ મુકામ છે, આના પછી કોઈ મુકામ છે જ
નહિ,,
અહી પહોંચવા માટે જ ત્રણ પ્રકારની આંતર સાધના પધ્ધતિઓ છે ,આમાં બાહ્યા ચારો કોઈ જ કામમાં
આવતા જ નથી, એટલું સ્પષ્ટ જાણી લેવા જેવી સત્ય સ્વરૂપ હકીકત છે,, બાહ્યા ચારો દ્વારા માણસ
કદી પણ પોતાના સ્વભાવમાં સ્થિર થઈ શકે જ નહીં પોતાની પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક સ્થિર
થઈ શકે જ નહિ , અને પોતાના સત્યમાં અને પોતાના સ્વભાવમાં સ્થિર થયા વિના પરમ આનંદ કે
પરમ શાંતિ ઉપલબ્ધ થાય જ નહિ ,આ જીવનની પાયાની હકીકત છે,
ત્રણે સાધનામાં અંદર ઉતારવાનું છે, જે અંતરના મળોથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે, આમ અંતર
શુધ્ધિ એજ આત્મિક સત્યતા છે, એજ જીવનની સિધ્ધી છે,

આ પારાયણો અને બીજા ઉપરના તમામ વિધિ વિધાનો બધા જ બાહ્યાચારો છે, તેને ને માણસની
પરમ ચેતનાને અને તેમાં સ્થિર થવાને કાઇ જ લાગતું વળગતું નથી,
માણસો આ કથાઓ અને જુદા ,પ્રસંગો ખૂબજ રસ પૂર્વક બીજા જોવે તે હેતુથી સાંભળતા હોય છે,અને
પોતે મોટો ધાર્મિક છે, તે બતાવવા જ કથાઓમાં જતો હોય છે, આ રીતે પોતાનો અહકારને પોષણ
આપતો હોય છે, એને ને કથાના જ્ઞાનને કાઇ જ લાગતું વળગતું પણ હોતું જ નથી,
આમ અહકારને મોટો કરવા જ કથામાં સલગ્ન હોય છે, આમ આખું દ્રશ્ય પાવનકારી હોય તેંમ
પ્રથમ દ્રષ્ટિએ લાગે છે ,પણ જરાક ઊંડા ઉતરો તો અહંકાર મજબૂત કરવાનો જ ભાવ હોય છે,
આરીતે સાંભળનારને પારાયણોના મર્મમાં માણસનો પ્રવેશ હોતો જ નથી, કે થતો પણ નથી,
કથાકારને સત્સંગ કહેવામાં પદાર્થની પ્રાપ્તિ કરવાનો ભાવ હોય છે, અને પોતાની આરતી કરે
વાહવાહ કરે તે ભાવ હોય છે, એટલે શાસ્ત્રોનું ગાંગર્યા જ કરે છે ,તેમાં જ્ઞાન હોતું નથી, માહિતી હોય
છે,
માહિતી દ્વારા કોઈનું આંતરિક પરિવર્તન થયાનું ઇતિહાસમાં નોંધ નથી, આમ શાસ્ત્રોની ગબારા બાજી
હોય છે, સત્ય ઓછું અને અસત્ય વધુ ગંગામાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ, ખીર ખાવાથી ચાર પુત્રો જન્મ્યા
મંત્રો દ્વારા છ છોકરા જન્મ્યા જેમાં એક કવચ અને કુંડલ સાથે, એક સ્ત્રી માટે જમીન ફાટી ને તેમાં
સમાઈ ગઈ વગેરે ગબારા ચલાવે છે, જેથી તેમ સત્યનો અંશ પણ હોતો નથી, સત્ય કદી બીજા
પાસેથી પ્રાપ્ત થાય જ નહીં તેતો પોતે પોતાના જ આત્મામાંથી મેળવવું પડે છે, આમ આપનું પોતાનું
સત્ય જ આપાણો ઉધ્ધાર કરે છે, એટલું જાણો કોઈનું માનો નહિ,
આમ આપણે આ બધુ જ ગતાનું ગતિ માટેની એક વીધી વિધાન બનાવી દીધા છે,, આ બધી જ
ક્રિયાઓ આમ જોવા જઈએ તો ઉધા માટલામાં વરસાદનું પાણી ભરવાની વિધિ જ પુરવાર થાય છે,.
તેનાથી વિશેષ કાઇ જ નહિ,
આપણે જોઈએ છીએ કે અમુક લોકો નિયમિત સત્સંગ કથાઓમા,અને પારાયણોમાં વરસોનાં વરસો
સુધી સાંભળતા હોય છે, ધાર્મિક સ્થળે ભટકાતાં હોય છે, પણ તેમના જીવનમાં કોઈ પરિવર્તન કેમ
નથી થતું ? તેનું કરણ આજ છે , તેના મર્મને પકડવાની શક્તિ જ નથી આવી, શક્તિ તોજ પ્રાપ્ત
થાય જો પોતાનું ચિત્ત એકાગ્ર હોય શુધ્ધ હોય અને પરમ વિશ્રામમાં સ્થિર હોય તોજ મર્મને પકડી શકે
છે,,
આવા બધા જ પારાયણોથી સત્સંગથી ,કદાચ માત્ર ભાવ સ્પર્શ થતો હોય છે , પણ જે ભાવ સિધ્ધી
બધાવી જોઈએ તે બંધાતી જ નથી, કેવળ સ્પર્શતો ક્ષણીક છાયા જ છે, આભાસ છે, એવું જ જણાય છે,
જે સાંભળનારના પોતાના મૂળભૂત પરિવર્તન માટે તો તેમણે પોતાએ જ વધારે ઊડે જવું જ જોઈએ
,આમ શ્રવણરસ આપણાં કાનને સ્પર્શે તેટલું પૂરતું નથી, પણ એતો આપણાં હ્રદયમાં આત્મામાં

સિચાવવો જોઈએ , પરમ ચેતનામાં અને પ્રાણમાં ઉતરવો જ જોઈએ, આ પારાયણનો રસ જ્યારે
શ્રોતાના અંતરમાં ,હ્રદયમાં આત્મામાં પરમ ચેતનામાં સ્થિર થાય છે, ત્યારે જ તેનું આંતરિક હાડ
બંધાય છે,, અને પારાયણ સત્સંગ તેના આધ્યાત્મિક પરિવર્તન કરનાર સાબિત થાય છે, પણ આવું
ક્યાંય બનતું જોવા મળતું જ નથી, તે આજની વાસ્તવિકતા છે, એટલે ઉપર ઉપરથી વહી જાય છે. ને
કોરાને કોરાજ રહે છે, , ,
આજના પારાયણોમાં સાંભળનારમાં આવી સત્ય સ્વરૂપ આંતર ભાવ સ્થિતિનું શુધ્ધ નિર્માણ કદી પણ
ટોળામાં થવું જ અસંભવ છે, અશક્ય છે, એટલું બરાબર સમજી લ્યો કે જ્યાં ટોળું ત્યાં આંતર જ્ઞાન
ગાયબ હોય છે, ત્યા તો હોય છે, નર્યું જ ગાંડપણ ,અને તેમાંય હવેતો કથાને અંતે પ્રસાદ રૂપે પાકું
ભોજન પીરસાઈ રહ્યું છે, માટે સારું ખાવાના લોભે માણસો પારાયણમાં આવતા હોય છે, તે પણ સત્ય
હકીકત છે, કથામાંથી આવતા માણસો ખાવાના વખાણ કરતાં માલૂમ પડે છે , કોઈ કથાના મર્મની
ચર્ચા કરતાં ક્યાંય પણ જોવા મળતા નથી, એટલે કથાનો આખો મર્મ માથા ઉપરથી પસાર થઈ ગયો
તેવો તાસીરો જોઈ શકાય છે,
આ જગતમાં આધ્યાત્મિક ગ્રંથોના કેવળ શ્રવણથી કે વાંચનથી માણસનો આધ્યાત્મિક વિકાસ સાધી
શકાતો જ નથી તેને અંતરમાં ચિંતન મનન કરી ધુટી તેનો મર્મ આપણે કાઢવો જોઈએ, જે આપણુ
જ્ઞાન બને છે, આ જ્ઞાનનું અનુસરણ જ આપણૂ પરિવર્તન કરે છે, આવું તો આપણે કરતાં જ નથી,
ધણી વારતો શાસ્ત્ર માત્રને માત્ર વ્યસન બની જાય છે , શાસ્ત્રમાં આવતી વાતોમાં પોતાને શું
ઉપયોગી છે તેની શોધ કરતાં આવડવું જોઈએ, અને તેને અતરથી જાણીને આચરણમાં મૂકવું જોઈએ
જે માણસના મનમાં પ્રશ્નો જ ઉઠતાં નથી , અને પોતાને સંમશ્યાઓ પીડતી નથી અને પોતાના
જીવનમાં અનેક જાતના અંતરાયો ઊભા જ થતાં નથી , તેવો માણસ કાંતો પરમ જ્ઞાની હોય છે,
અથવા મૂઢ હોય છે, .
આમ પારાયણ અને સત્સંગ વગેરે નથી, વિમુખ માટે કે નથી વિમૂઢ માટે એતો માત્રને માત્ર
પરમાત્મા ઉન્મુખ માણસ માટે જ હોય છે, જેમની અંતરમાં ઉન્મુખતા વધે છે, અને અંતરમાં જ્યારે
અજવાળું થવા માંડે છે, .
આ માત્ર ને માત્ર બૌદ્ધિક સમજ નથી પણ માણસના સમગ્ર વ્યક્તિત્વમાંથી ઉઠતી અંતર દ્રષ્ટી
છે,,તેનાથી માણસની જીવન દ્રષ્ટિ વિશુધ્ધ અને વિશાળ તો બને છે,, ઉપરાંત એ પ્રમાણે જીવન
જીવવાનું આત્મ બલ પણ આત્મામાંથી મળી રહે છે, અને તેનું આધ્યાત્મિક પરિવર્તન થઈ જાય છે, તે
પૂર્ણ રૂપે આધ્યાત્મિક બની રહે છે , આ તોજ થાય જો માણસના હ્રદયમાં કથા અને સત્સંગ ભક્તિનું
બીજ ઊગે અને તેમાંથી અંકુર ફૂટે ત્યારે જ માણસને આવા શુધ્ધ સાત્વિક પવિત્ર અને આત્મિક સત્ય
સ્વરૂપ નવા જ જીવનનો આત્મિક અનુભવ થાય છે,,

આવો જ્યારે અંતરમાંથી અનુભવ અનુભૂતિ થાય છે ત્યારે જ આપણી પોતાની ભક્તિ સ-સત્વ છે કે
નિ-સત્વ છે એ આપણે પોતે જ આપણાં જ અંતરમા થતાં અનુભવ પરથી પામી શકીએ છીએ
આવી સ-સત્વ ભક્તિના મૂળિયાંને શ્રાવણ રસનું સિંચન થયું છે, એમ માનવું આ આપણી અંતરની
શ્રધ્ધાના ઊધડ પરથી જાણી શકાય છે , આવી આત્મિક શ્રધ્ધાનો ઉધાડ પણ એકી સાથે બે
દિશામાં થાય છે, એક છે અંતરનો પ્રેમ અને બીજી છે, આપણી પોતાની પ્રજ્ઞા જે અહંકાર પીડિત
રહેતી જ નથી ,
આવી આત્મિક શ્રદ્ધાના ઉદયથી આપણાં ચિત્તમાં પરમ વિશ્રામ અને પરમ પ્રસન્નતા પ્રગટે છે, અને
આપણી બુધ્ધિ નિશ્ચયાત્મક બને છે, ત્યારે આપણાં ચિત્તમાં અને આપણા પોતાના જ ચરિત્રમાં
વર્તન વ્યવહારમાં આત્મિક સત્યનું ઓજસ પ્રવેશ કરે છે, આ ઓજસ દાહક નથી પણ શામક છે
એમાં જ પરમાત્મ કૃપાનું અમૃત ભર્યું હોય છે, જે આપણને પ્રાપ્ત થાય છે
પછીતો જીવનમાં અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પરમાત્માની સત્ય સ્વરૂપ કૃપાનો અનુભવ
અનુવભૂતિ નિરંતર થતી જ રહે છે, આમ આખા આધ્યાત્મિક આંતર પ્રવાસમાં આત્મિક સત્ય સ્વરૂપ
શ્રધ્ધા અને પરમ તત્ત્વ પરમાત્માની કૃપા બંને પ્રારંભથી અંતિમ ધામ સુધી સાથે જ બની રહે છે
આમ અહંકાર અને કર્તૃત્વ અને વાસના વગેરે રહિત થઈ પરમાત્માને શરણે આત્મિક સત્યમાં સ્થિર
થઈને જનારને ભક્તિ , પરમાત્માની અનુભૂતિ અને ટોટલી અનાસક્તિ ત્રણે એકી સાથે જ થાય છે,
જેથી જીવને તૃષ્ટિ પુષ્ટિ અને પરી તૃપ્તિ ત્રણે એક સાથે પ્રાપ્ત થાય છે આમ જીવને એક એવું
આશ્રય સ્થાન મળી જાય છે, જ્યાં તે સર્વ ભાવે, સર્વજ્ઞ સંપૂર્ણ અને પૂર્ણ થઈને ઠરી ઠામ થાય
છે,, પછી માણસને પોતાની વૃતિ ઓ અને પ્રકૃતિ પરમ શાંત થઈ જાય છે, એજ પરમ જ્ઞાનની
અવસ્થા છે,

તત્વચિંતક વી પટેલ

About Nikhil Vaghela

What you can read next

જીવનને અંદર ઉતરી જાણો, ને સત્ય સ્વરૂપ થઈ અનુસરો એજ ધર્મ
7 tips to avoid showmanship during funeral
Shradhanjali Online | Obituary Online | Swargbook
ભય, ભ્રમ, ને ભ્રમજાળથી મુક્ત બનો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Categories

  • Africa
  • Ahmedabad
  • Aravalli
  • Australia
  • Bardoli
  • Bhavnagar
  • Blogs
  • Borsad
  • Canada
  • Celebrity
  • Corporate
  • Dubai
  • Gandhinagar
  • Godhra
  • Himmatnagar
  • Jamnagar
  • Junagadh
  • Karnatak
  • kenya
  • Kheda
  • London
  • Mehmadabad
  • Mehsana
  • modasa
  • Mumbai
  • Nadiyad
  • Nasik
  • Navsari
  • New Zealand
  • Patan
  • Rajkot
  • South Africa
  • South Barrington
  • Spain
  • Surat
  • U.K
  • U.S.A
  • Vadodara / Anand
  • Valsad
  • Zambia

GET A FREE QUOTE

Please fill this for and we'll get back to you as soon as possible!

GET IN TOUCH

M: +91 8511395067
Email: sales@swargbook.com

Sachrachar, Bh Ramol Police Station
Ramol, Ahmedabad 382449 GJ IN

Open in Google Maps

Whatsapp
  • Privacy Policy
  • About Us
  • Contact Us
  • Copyright
  • Terms Of Service
Swargbook | Online Shradhanjali | Online Obituary | Last Tribute | Last Messages

© 2015 All rights reserved by Swargbook.com. Design & Developed by Supreme Solutions .

TOP