આપણાં ચિત્તના તમામ આવરણો જ્યારે આંતર આધ્યાત્મિક ધ્યાનની સાધના દ્વારા હટી જાય છે, અને જ્યારે ચિત્ત પરમ
પૂર્ણ વિશ્રામમાં સ્થિર થાય ત્યારે જ પરમ ચૈતન્ય આપણાં હ્રદયમાં જળહળી ઉઠે છે, આનું નામ છે બ્રહ્માનુભૂતિ છે, જોકે
તેતો તે સર્વત્ર રમી રહ્યું છે, પણ જ્યારે આપણા પોતાના જ અહંકારનું અલગ અસ્તિત્વ જ મટી જાય છે, કર્તૃત્વ નો જ નાશ
થાય છે,રાગ અને દ્વેષથી મુક્તિ પ્રાપ્ત થાય અને અદ્વેતમાં સ્થિર થવાય ત્યારે જ બ્રહ્મનો પ્રકાશ પ્રગટ થાય છે, ત્યારે તેને
બહારના તમામ પ્રકારના આભાસો જરા પણ આપણાં મનને છેતરી શકતા નથી, અને પછી માયાનું પણ કાઇ જ ચાલતું જ
નથી, ,
માણસનો ભય ,ભ્રમ ભ્રમણા અને ભ્રમજાળનો પ્રદેશ તો માત્ર ભેદ બુધ્ધિ સુધી જ રહે છે,તે પણ સાધના ને કારણે તે પ્રદેશ
રહેવા પામતો નથી, આમ આંતર ધ્યાનની સાધના એટલે મૂલ્યમાં વૃતિ શૂન્યતાની સાધના છે, પણ માણસનું મન એમ
કાઇ સહેલાયથી વૃતિ શૂન્ય થતું જ નથી,
એટલા માટે જ આપણી વૃતિઓ સત્વ રજસ અને તમસને બને એટલી નિર્વિકારી નિર્લેપ વિશાળતામાં અથવા નિર્મૂળ કરી
જીવનમાં રાખવાની રહે છે, એટલે કે ત્રિગુણાતીત બનાવી સ્થિત, પ્રજ્ઞામાં સ્થિર કરવાની જરૂરિયાત હોય છે, તે પણ ધીરે ધીરે
ઉપલબ્ધ થાય છે, . આમ ચિત્તમાં ગમે તેટલા ચકડોળ ચડે પણ એનાથી સાવજ અલિપ્ત રહેવાનું છે, તેની સાથે જોઇન્ટ
થવાનું નથી તેને સાક્ષીભાવે જોતાં જ રહેવાનું છે, અને ગમે તેવા ચકડોળ ચડેતો એનાથી જરા પણ ચલિત કે વિચલિત થવાનું
જ નથી, આવી આપણી વૃતિને જ અહંગ્રહ કે બ્રહ્માંકાર વૃતિ કહેવામાં આવે છે,
જેને સાધનામાં શૂન્ય અવસ્થા ,સ્વભાવમાં સ્થિર થવું છે, પરમ મૌન થવું ,ઇંદ્રિઓની પારની અવસ્થામાં સ્થિર થવું છે અને
સાક્ષીભાવમાં સ્થિર થવું છે, તેજ આંતર ધ્યાનની સાધનાનો અંતિમ છેડો છે, જેનું નામ છે અદ્વેત અવસ્થા, આની પ્રાપ્તિ
ત્યારે જ થાય જ્યારે આપણે આપણાં પોતાના આત્મિક સત્ય અનુસાર આચરણ અને વ્યવહાર કરતાં હોઈએ સત્ય ને મળવા
માટે સત્ય સ્વરૂપ ધ્યાનનો અને આત્મિક સત્યનો માર્ગ જ પસંદ કરવો પડે છે, તે પણ આ પણું પોતાનું સત્ય જ હોવું જોઈએ
તેજ સત સાથે મિલન કરાવે છે,બીજાનું સત્ય મોટા ખાડામાં નાખે ને ઉપરથી ઢાકણુ બંધ કરી મારી જ નાખે,
આપણાં મન ઉપર સારી, નરસી ગમતી ,અણગમતી રાગ અને દ્વેષ વગેરે પ્રકારના દ્વદ્વની છાપ જ ન ઉઠે ત્યારેજ મન
નિર્મળ બને છે, આ પણ આંતર સાધનામાં અંતિમ સ્થળે પહોંચવામાં પૂરતું નથી , પણ ધ્યાનની આંતર સાધનામાં મનને
છેવટે તો અમનમાં પલટાવી જ નાખવું જોઈએ અને તમામ પ્રકારના દ્વદ્વથી મુક્ત થઈ અદ્વેતતા પ્રાપ્ત કરીએ
ત્યારેજ સાધના પૂર્ણ થાય છે,
આ એક એવી વૃતિ છે જે આપણાં મનની શુધ્ધસત્વ ગૂંણથી ભરેલી પરમ શાંત વૃતિ છે, ,પણ આવી પરમ શાતં
સત્વગુણી અવસ્થા પણ મનથી ટોટલી ઉપર ઉઠયા વિના આત્માના સહજ સ્વરૂપમાં અને સત્ય સ્વરૂપમાં
સ્થિતિ થતી જ નથી, આમ મન અમન કરવું દ્વદ્વથી મુક્ત કરવું એટલે જેને માનો નાશ કહે છે આવો માનો નાશ
વાસના તૃષ્ણા વગેરેનો ક્ષય અને સત્યનો સાક્ષાત્કાર ત્રણે એકી સાથે જ થવા પામે છે,આપણાં સમગ્ર જીવનમા ભૂલ
અને ભ્રાંતિ ત્યાં થાય છે, કે આપણે આપણી શાંત સ્થિર અને શુધ્ધ સત્વની ઉપલબ્ધિ ને જ
સાક્ષાત્કાર માંની બેસીએ છીએ, અને આંતરિક દ્વદ્વ તો ચાલુજ હોય છે,
એટલું માણસએ સ્પષ્ટ સમજી અને જાણી જ લેવું જરૂરી છે કે , આપણી આંતરિક સાધના દ્વારા જ્યાં
સુધી મનનું કોચલું ભેદીએ નહીં , દ્વદ્વથી મુક્ત થઈએ નહિ ત્યાં સુધી આપણને સત્યનો સ્પર્ષ થતો
જ નથી , આ પાયાની હકીકત જાણી લેવા જેવી છે,
આજના માણસે એટલું સ્પષ્ટ જાણી લેવા જેવું છે કે જો શાંતિ માત્ર ને માત્ર અવકાશની શાંતિ હોય કે
એકાંત જીવનની શાંતિ હોય અને જગતના કોલા હલમા એની શાંતિનો ભંગ થઈ જતો હોય તો તે
જીવનની પરમ શાંતિ એટલે કે આત્મ પ્રાપ્તિની શાંતિ નથી, જ્યાં ચિત્તમાં જરા પણ દ્વદ્વ છે ત્યાં પરમ
શાંતિ નથી , આપણાં અમનની સ્થિતિ, દ્વદ્વથી મુક્તિ અને પરમ મૌનની એજ સાચી શાંતિ છે, એટલું
જાણો,
આપણે ધરે નવરા ધુમ બેઠા હોઈએ તે પરમ શાંતિ નથી એટલું જાણો , સંસારમાં રહેવા છતાં સંસારનું
વાતાવરણ આપણી શાંતિમાં ભંગ ન કરી શકે તેજ સાચી શાંતિ છે,આપણે એકાગ્ર ચિત્તે માળા કરતાં
હોઈએ કે ધ્યાન કરતાં હોઈએ અને ધરમાં કુતરુ ધુસી જાય અને રોટલીનું ગરવું ઉધુ કરીને
અંદરની રોટલી લઈને ભાગી જાય તો પણ આપણી માળામાં કે ધ્યાનમાં જો તેની જરા જેટલી ખલેલ
પડે નહીં ટેજ સાચી એકાગ્રતા અને સાચું મૌન છે,
બાકીતો હવામાં બચકાં છે, હાથની આગળીઓ મણકા ફેરવતું હોય અને ધર્મમાં છોકરા બાજતા હોય
તો જો મારા રોયાં શાંત થઈ જાવ તેવું બોલાય જાયતો બધુ જ બનાવટ છે, છેતરવાની અને અહંકારને
પોષણ આપોવાની વિધિ વિધાનો છે, તેનું ફળ મળતું જ નથી એટલું જાણો, જીવનની આંતર સાધનનું
પહેલું પગથિયું છે સાચું જ્ઞાન ,સત્યસ્વરૂપ જાણકારી , સત્યની સમજ અને આ ત્રણે ને યથાર્થ
સ્વરૂપમાં આરપાર વિધીને જોવાની સાત્મિક સત્ય સ્વરૂપ દ્રષ્ટિ આની પ્રથમ જરૂર પડે છે,આત્મ
દર્શનએ કોઈ ઉગ્ર પ્રલંબ સાધનાને છેવાડે આવેલું ફળ નથી, પણ આજનો માણસ આંતર સાધનામાં
ઉતરવાનું વિચારતો જ નથી સત્યના માર્ગમાં જેટલું ચાલો એટલો ફાયદો છે, સદગતિજ થાય છે, દુર્ગતિ
હાથમાંજ આવતી નથી કદાચ બ્રહ્મની અનુભૂતિ કે અનુભવ ન થાય તો પણ જીવનમાં શાંતિ એ કાઇ
નાની સુની વાત નથી.
તત્વચિંતક વી પટેલ
Recent Comments